WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના

ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના । Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat

રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, મત્સ્યપાલન ક્ષેત્રે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનું અમલીકરણ કરી ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાનમાં રાખીને બાગાયત વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના અને વેલાવાળા શાકભાજી માટે અર્ધ પાકા મંડપ માટે સહાયનો સમાવેશ થાય છે.

આજના આ અર્ટીકલમાં આપણે ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.   

Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat

સરકાર દ્વારા શતાવરી, અશ્વગંધા, સફેદ મુસળી જેવા ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય સહાય પૂરી પાડે છે. Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું. 

યોજનાનો હેતુ

ગુજરાતમાં ધાન્ય પાકોની સરખામણીમાં ઔષધીય/સુગંધિત પાકોના વાવેતર વિસ્તાર ખૂબ જ ઓછો છે. સરકાર દ્વારા ઔષધિય/સુગંધિત પાકોના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ યોજના ચલાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે ઔષધિય/સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે.

Highlight Point

યોજનાનું નામઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂત કેજે ઔષધિય / સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે, તેમને સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખર્ચના 75 ટકા અથવા રૂ.11,250/- હેકટર ની મર્યાદા તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


યોજનાની પાત્રતા અને નિયમો

ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના ની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં દરેક જાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત ફક્ત એક વખત લઈ શકશે.
  • ખેડૂતે NHB દ્વારા એક્રીડીટેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદી કરવાનું રહેશે.
  • અ યોજનાની સહાય 0.20 હેક્ટર થી 4 હેક્ટર સુધીના વાવેતરવિસ્તારમાં મળવા પાત્ર છે.
  • ખેડૂતને ખાતાદીઠ મહત્તમ 4 હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

Read More: ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Scheme


ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

મિત્રો, અગાઉની યોજનામાં જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. પરંતુ અ યોજનામાં દરેક ખેડૂતને સમાન લાભ આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

  • ખેડૂતને કુલ ખર્ચના 75 % અથવા રૂપિયા 11,250/- તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે.

Read More: PM Kisan 14th Installment List : આ ખેડૂતોના ખાતામાં આવશે આગામી 14 ના હપ્તાના રૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.


Required Document for Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Read More: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24


ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. તેમાટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.

ઔષધિય પાકોના વાવેતર માટે સહાય યોજના

  • “Bagayatiniyojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-8 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય પર ક્લિક કરવું.
  • જેમાં ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફએર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફોર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્ટી મેળવી શકશે. 

Read More: મફત હાથ લારી સહાય યોજના હેઠળ 13800/-ની સહાય મળશે ।Mafat Hath Lari Sahay Yojana


FAQ

1. ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ: ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Assistance Scheme for Cultivation of Medicinal / Aromatic Crops માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

જવાબ: ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

૩. ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાનો હેતુ શું છે?

જવાબ:. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે ઔષધિય/સુગંધિત પાકોનું વાવેતર કર્યું છે.

Leave a Comment

close button