WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana: ગામડાંના નાગરિકોને રોજગારના નવાં અવસર મળશે,જાણો વધુ માહિતી.

Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana: ગામડાંના નાગરિકોને રોજગારના નવાં અવસર મળશે,જાણો વધુ માહિતી.

Short Briefing : Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana | દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના | DDUGKY 2023 | Grameen Kaushalya Yojana | Pandit Dindayal Upadhyay Yojana

સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવે છે. સ્વરોજ ગારી મેળવવા માટે માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના વગેરે હાલમાં ચાલુ છે. જ્યારે મોટો વ્યવ્સાય ચાલુ કરવો હોય તો વાજપાઈ બેંકેબલ યોજના પણ હાલ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે, એક ઉંમર પછી નોકરી કે કોઈપણ કામ કરવું કેટલું જરૂરી છે. અને એ સમયે પણ કોઈ કામ ના મળે તો શું થાય ? માણસને ઘણી બધી નવી મુશ્કેલીનો સામનો કરવો પડે.  

તમારી આ પરેશાનીનું સમાધાન Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana થકી દૂર થઈ શકે છે. પણ એનાં માટે તમારે આ યોજના વિશે પૂરતી માહિતી મેળવવી જરૂરી છે. અહીં નીચે આ જ આર્ટિકલમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની સંપૂર્ણ માહિતી આપેલ છે.

Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana

આ યોજનામાં ગામડાંના બેરોજગાર યુવાનોને સરકારની મદદથી તેમની મનપસંદ કામની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં નાગરિકને સંપૂર્ણ તાલીમ બાદ પોતાનો ધંધો શરૂ કરવા અથવા તાલીમ અનુસાર નોકરી પણ શોધી આપવામાં આવશે. આ યોજના થકી દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાશે.

DDUGKY Overview

પોસ્ટ નું નામ Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યગામના બેરોજગાર યુવાનોને તાલીમ અને નોકરી આપવી.
યોજનાની શરુઆત2014
યોજનાની શરુઆત કોણે કરીપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ
યોજનાનું સ્ટેટસયોજના ચાલુ છે.
ઓફિશિયલ વેબસાઈટhttp://ddugky.gov.in

આ પણ વાંચો : ખેડૂત લાભાર્થીઓએ 28 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે.


Pandit Dindayal Upadhyay Yojana Eligibility Criteria

આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર ની શું પાત્રતા હોવી જોઈએ. આ યોજનાનો લાભ કોણ લઈ શકશે તેની માહિતી અહિ નીચે આપેલ છે.

  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર ની ઉંમર 15 થી 35વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર હોય તો તે આ યોજના માટે અરજી કરી શકશે.

આ પણ વાંચો: પીએમ કિસાનની આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે


દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટેના દસ્તાવેજ

આ યોજના માટે પાત્રતા ધરાવતા હોય તો તમારે એમાં અરજી કરવાની રહેશે. આ અરજી માટે તમને કેટલાક દસ્તાવેજની જરૂર પડશે. તે બધા જ દસ્તાવેજ અહીં નીચે આપેલ છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • વોટર કાર્ડ
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • અરજદારનું નિવાસ પ્રમાણપત્ર
  • અરજદારનાં 3 પાસપોર્ટે સાઈઝના ફોટા

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એજ ઉદ્દેશ્ય છે કે, દેશના જે ગ્રામીણ વર્ગના યુવાનોને રોજગારના અવસર નથી મળતા એવાં યુવાનોને પોતાની રુચિ મુજબની તાલીમ આપવામાં આવશે. જેથી યુવાઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. આ યોજના થકી યુવાનોને તાલીમ પૂર્ણ થયા બાદ નોકરીના અવસર પણ આપવામાં આવશે.


આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના 2023


યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ગ્રામીણ બેરોજગાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ યુવાનની રુચિ અનુસાર હશે.
  • તાલીમ પછી યુવાનોને નોકરી પણ મળશે.
  • આ યોજનાનો લાભ બધા યુવાનોને મળશે, જે બેરોજગાર છે.
  • તાલીમ મળવાથી યુવાનોમાં ઘણી બધી આવડત આવશે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે.
  • તાલીમ પૂરી થશે ત્યારે યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
  • બેરોજગાર યુવાનોને 200 જેટલી અલગ-અલગ કાર્યની તાલીમ આપવામાં આવશે.

Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

તમે પણ આ યોજના માટે પાત્ર હોય તો દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે શું કરવું પ્રક્રિયા કેવી છે ? તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે આ યોજનાની Official Website http://ddugky.gov.in/ પર જવું પડશે.
ddugky Official Website
  • ત્યાં તમને હોમ પેજ પર Candidate ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં એક નવું પેજ ખુલી જશે તેમાં Apply Now ના બટન પર ક્લિક કરી દો.

DDUGKY Online Apply 2023
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલી જશે. તેમાં જરૂરી માહિતી ભરો અને જરૂરી માગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
  • ત્યાર બાદ સબમિટના બટન પર ક્લિક કરી દો.
  • આ રીતે અરજદાર આ યોજના માટે અરજી કરી શકાશે.

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના યાદી 2023


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.   Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana 2023 શું છે?

Ans: આ એક પ્રકારની યોજના છે. જેમાં ગ્રામીણ યુવાનોને તાલીમ અને નોકરી મળશે.

2.   આ યોજના માટે અરજદારની આયુ સીમા કેટલી હોવી જોઈએ?

Ans: 15 વર્ષ થી 35વર્ષ

3.   Pandit Dindayal Upadhyay Yojana નોકરી કરવા વાળા યુવાનો અરજી કરી શકાશે?

Ans: ના, જે યુવાનો પાસે નોકરી નથી. તે જ યુવાનો અરજી કરી શકશે.

4.   Pandit Dindayal Upadhyay Yojana માટે અરજી કેવી કરવી?

Ans: આ યોજના માટે અરજદારે Official Website પરથી અરજી કરવાની રહેશે. જેની માહિતી ઉપર સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.

5.   શું આ યોજના માટે 8 પાસ વાળા અરજદાર અરજી કરી શકશે?

Ans: હા, આ યોજના માટે અરજદાર કેટલું પણ ભણેલો હોય તે અરજી કરી શકશે. અને આ યોજનાનો લાભ લઈ શકશે.

Leave a Comment

close button