Adijati Nigam Yojana | Tribal Yojana in Gujarat | Laptop Sahay Yojana Gujarat 2022 | ST Yojana Gujarat । સ્વરોજગારી મેળવવા કોમ્પ્યુટર તથા મશીનરી ખરીદવા માટે લોન સહાય
ગુજરાત સરકાર દ્વારા જુદા-જુદા વિભાગો દ્વારા અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટેની યોજનાઓ, મહિલાઓ માટેની યોજનાઓ, વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ તથા બેરોજગાર નાગરિકોને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગારલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા આદિજાતિ નિગમ,ગાંધીનગર દ્વારા બેરોજગાર નાગરિકો માટે ચલાવવામાં આવતી “લેપટોપ સહાય યોજના અથવાથવા કોમ્પ્યુટરના મશીન ખરીદવા માટેની યોજના વિશે વાત કરીશું. મિત્રો આ કોમ્પ્યુટર લોન યોજના કોને મળવાપાત્ર છે?, તેના માટે શું-શું પાત્રતા છે તથા તેનો લાભ કેવી રીતે મળે તે આ પોસ્ટ દ્વારા માહિતી મેળવીશું.
Laptop (Computer) Sahay Yojana
Gujarat Tribal Development Corporation દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ આદિજાતિના ઈસમોને આપવામાં આવે છે. આદિજાતિ વર્ગના નાગરિકો સ્વરોજગારી મેળવે તે માટે Adijati Nigam Gujarat Portal મારફતે વિવિધ લોન યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. લેપટોપ અથવા કોમ્પ્યુટરના મશીનનો ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકે. Laptop (Computer) Sahay Yojana માં લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે.
લેપટોપ લોન યોજનાનો ઉદ્દેશ
ગુજરાત અનુસૂચિત જન જાતિના લોકોની આર્થિક સ્થિતિ તેમજ ખૂબ નબળી હોવાથી નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવામાં મુશ્કેલીઓ અનુભવે છે. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે Adijati Vikas Vibhag Gujarat કાર્યરત છે. ST Caste ના નાગરિકોને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે, એટલા માટે આદિજાતિ નિગમ દ્વારા કોમ્પ્યુટરના મશીન ખરીદવા માટે લોન આપવામાં આવે છે. આ લોન NSTFDC ના સહયોગમાં રહીને આપવામાં આવે છે. જેથી નવો ધંધો ચાલુ કરવા માટે લોન આપીને તેમની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવે છે. અને તેઓ આત્મનિર્ભર બની શકે છે.
Important Point of Laptop Loan Yojana
યોજનાનું નામ | Laptop Sahay Yojana for S.T |
આર્ટિકલની ભાષા | English અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
લોનની રકમ | આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/- |
લોન પર વ્યાજદર | માત્ર 4% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે. |
Official Website | Click Here |
Online Apply | Apply Now |
Laptop Sahay Yojana માટેની પાત્રતા
Tribal Development Department Gujarat દ્વારા લેપટોપ તથા તેની મશીનનો ખરીદી માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.
● લાભાર્થી મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
● લાભાર્થી અનુસુચિત જન જાતિ વર્ગનો હોવો જોઈએ
● લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
● અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
● આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
- લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
કોમ્પ્યુટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ
Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.
લોન પરનો વ્યાજદર
ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.
● અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
● અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
Document Required for Laptop Sahay Yojana
Adijati Nigam Gandhinagar દ્વારા બેરોજગાર યુવક-યુવતીઓને કોમ્પ્યુટરને લગતો નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના ઈસમોને આ લોન યોજનાનો લેવા માટે નીચે ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
- રેશન કાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
- જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
- રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
ઈ-શ્રમ કાર્ડના ફાયદાઓ અને કેવી રીતે કાઢી શકાય તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
Laptop Sahay Yojana Gujarat 2022 Apply OnlineBLOCK
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ST જ્ઞાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી અર્થે વિવિધ લોન યોજનાઓ તથા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસુચિત જનજાતિના બેરોજગાર યુવકોને કોમ્પ્યુટર કે લેપટોપને લગતો નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો તેની મશીનરી ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા કોમ્પ્યુટર મશીન તથા તેના વિવિધ સાધનોની ખરીદવા માટે, આ લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- પ્રથમ Google Search જઈને “Adijati Vikas Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Tribal Development Corporation,Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
- જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
- હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
- તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
FAQ of Laptop Sahay Yojana Gujarat
ગુજરાતમાં આવેલા આદિજાતિ નિગમ દ્વારા લેપટોપ સહાય યોજના હેઠળ રૂપિયા 1.50 લાખ લોન આપવામાં આવે છે.
ગુજરાતના અનુસુચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
આદિજાતિ વિકાસ નિગમ,ગાંધીનગર ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST)ના નાગરિકોને આપવામાં આવે છે.
બેરોજગાર એસ.ટી જ્ઞાતિઓને કોમ્પ્યુટરની ખરીદી માટે 1,50,000/- મની લોન આપવામાં આવે છે. જેના પર માત્ર 4 % વ્યાજદર લેવામાં આવે છે.
Important links of Laptop Sahay Yojana Gujarat
Adijati Nigam Gujarat Official Website | Click Here |
Direct Apply for Loan Link | Click Here |
Login here | Click Here |
Register Here | Click Here |
Forgotten Password? Click Here | Click Here |
Home Page | Click Here |
5 Comments