ગુજરાત સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2024 વિશે માહિતી મેળવીશું.
Manav Kalyan Yojana 2024
કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તેની વિગતવાર માહિતી મેળવીશું.
આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.
Important Point
આર્ટિકલનું નામ | Manav Kalyan Yojana 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | બી.પી.એલ. કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website-1 | http://www.cottage.gujarat.gov.in/ |
Official Website-2 | https://e-kutir.gujarat.gov.in/ |
કઈ તારીખથી ઓનલાઈન અરજી ચાલુ થશે? | ૦૩/૦૭/૨૦૨૪ થી |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
Read More: PM Matru Vandana Yojana 2024 । પીએમ માતૃ વંદના યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને મળશે ₹5000નો લાભ.
માનવ કલ્યાણ યોજનાઓ હેતુ (Purpose)
આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે..
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા (Eligibilty Creteria)
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
- અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/- થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
- જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.
Read More: વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 માટે જાહેરાત
આ યોજનાની ઓનલાઈન જાહેરાત પોતાની અધિકૃત વેબસાઈટ પર નાખેલ છે. જેના મુજબ કમિશ્રનશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી “માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25” દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે.
મફત સાધન સહાયની યાદી (Manav Kalyan Yojana Tool support)
Manav Garima Yojana Gujarat 2024 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ટ્રેડનું નામ |
1 | દૂધ દહીં વેચનાર |
2 | ભરતકામ |
3 | બ્યુટી પાર્લર |
4 | પાપડ બનાવટ |
5 | વાહન સર્વિસીંગ અને રીપેરિંગ |
6 | પ્લમ્બર |
7 | સેન્ટિંગ કામ |
8 | ઈલેક્ટ્રીક એપ્લાર્યન્સીસ રીપેરીંગ |
9 | અથાણા બનાવટ |
10 | પંચર કીટ |
How to Online Apply Manav Kalyan Yojana 2024 । માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
- જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana 2024” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
Online Application Form । ઓનલાઈન ફોર્મ
- E-Kutir Portal પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
- હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
- જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
- ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
- હવે “Login to Portal” પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
- માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
- હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
- Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતલાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: Assistance on Power Driven Chafcutter Sahay Yojana 2024 | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના
માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ (Features and Benefits)
રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.
- આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
- ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
- દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.
Read More: મફત પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2024
Read More: Pashupalan Yojana Gujarat List 2024 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2024
FAQ’s
જવાબ: કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે.
જવાબ: લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Gujarat પરથી Online Form ભરવાનું રહેશે.
જવાબ: અરજદારો જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” નો સંપર્ક કરી શકાશે.
જવાબ: ગુજરાતના લાભાર્થીઓ આ યોજનાની ઓનલાઈન અરજી e-Kutir Portal પર તા-03/07/2024 થી 31/08/2024 સુધી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.