WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Mudra Loan Yojana 2023 | પીએમ મુદ્રા યોજના

PM Mudra Loan Yojana 2023 | પીએમ મુદ્રા યોજના હેઠળ 50,000 થી 10 લાખ સુધી લોન મળશે.

Short Briefing: Pradhan Mantri Mudra Loan Yojana Online Apply | પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન । સરકારી લોન યોજના | પ્રધાનમંત્રી મુદ્રા યોજના | મુદ્રા લોન ફોર્મ હેઠળ 50,000 થી 10 લાખ સુધી લોન મળશે

       કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ આપે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવે છે. મિત્રો, આજે આ આર્ટિકલના માધ્યમ દ્વારા નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી PM Mudra Loan Yojana 2023  વિગતવાર માહિતી મેળવીશું.

PM Mudra Loan Yojana 2023

       આપણો દેશ ખેતી પ્રધાન છે. પરંતુ દેશમાં નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ધંધા ચાલુ કરવા માટે જરૂરી ઈન્‍ફ્રાસ્ટ્રકચર મળે તે ખૂબ જરૂરી છે. જેમાં લોન ખૂબ જ અગત્યની બાબત છે. ભારત સરકારે આવા સાહસિકોને લોન સહાયથી સરળ મળી રહે તે હેતુથી PM Mudra Loan Yojana નામની યોજના ચાલુ કરી છે. આ યોજના હેઠળ નવીન કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાંકીય સહાય મેળવી શકે છે. PM Mudra Loan Yojana નો લાભ કોણ-કોણ લઈ શકે, તેના માટે શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું.

Important Point

યોજનાનું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજના કોણે ચાલુ કરીભારત સરકાર દ્વારા
યોજનાનો ઉદ્દેશદેશના નાગરિકોને નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે આ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ
યોજના હેઠળ લોનની રકમપીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.
Pm Mudra Yojana Helpline Number1800 180 1111 / 1800 11 0001
Official WebsiteClick Here
Online ApplyApply Now
Pm Mudra Yojana Application FormDownload Here

પીએમ મુદ્રા યોજનાનો હેતુ

       સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. પીએમ મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાના નવા ધંધા, ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય, તો તેમને સરળતા લોન તેવી વ્યવસ્થા પૂરી પાડે છે. આ યોજના હેઠળ દેશની અધિકૃત બેંકો દ્વારા લોન ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના અમલી બનાવેલ છે.

    PM Mudra Loan નીચે મુજબના ઉલ્લેખિત હેતુઓને પરિપૂર્ણ કરીને MSME’s ને મદદ કરે છે.

  • નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
  • હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
  • તાલીમ પામેલા તેમજ સક્ષમ કર્મચારીઓની ભરતી
  • નવા મશીનરીની ખરીદી
  • વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
  • કોમર્શિયલ સાધનોની ખરીદી

Read More: Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.


પીએમ મુદ્રા લોન યોજના શું છે ?

આ લોન યોજના દેશના નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં સહયોગ આપે છે. તેમને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. આ યોજનાની શરૂઆત 8 મી એપ્રિલ, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. નાની-નાની કંપનીઓને ભંડોળ પૂરૂં પાડવા માટે PM Mudra Loan Scheme અમલી બનાવેલ છે.

PM Mudra Yojana Full Form

MUDRA Full Form આ મુજબ થાય છે કે, Micro Units Development & Refinance Agency. આ યોજનાનો મુખ્યત્વે નફો અને બિન-લાભકારી ક્ષેત્ર બંને કંપનીઓને ધિરાણમાં મદદ કરે છે. PM Mudra Loan Online મેળવવા ઈચ્છતી કંપનીઓ કે વ્યક્તિઓને રૂ. 50,000 થી રૂ.10,00,000/- સુધીની નાણાંકીય મદદ મેળવી શકો છો.

યોજના માટેની પાત્રતા

     પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    ● ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે.

    ● લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.

    ● લોન લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ

    ● મુદ્રા લોન હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંકે લેખિતમાં બતાવવું પડશે.

    ● અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.

    ● પાનકાર્ડ

    ● અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

    ● છેલ્લા 3 વર્ષનું Income Tax Returns


Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.


મુદ્રા લોનના વ્યાજદરો

    Mudra Loan Interest Rate બેંક દીઠ અલગ અલગ હોય શકે છે. લાભાર્થીઓને આ લોન યોજના હેઠળ અંદાજિત 7.30 ની આસપાસ કે વધુ હોય શકે છે.

બેંકનું નામવ્યાજદરો
SBILinked to MCLR
ICICI BankICICI bank ની માર્ગદર્શિકા મુજબ
IDBI BankIDBI ની માર્ગદર્શિકા મુજબ
UCO Bankઅંદાજિત 8.85% p.a.
Bank of Barodaઅંદાજિત 9.65% p.a.
Indian Overseas BankIndian Overseas bank ની માર્ગદર્શિકા મુજબ
Union Bank of Indiaઅંદાજીત 7.30% p.a.
Canara BankCanara bank ની માર્ગદર્શિકા મુજબ
Central BankCentral bank ની માર્ગદર્શિકા મુજબ
Bank of Maharashtraઅંદાજિત 9.25% p.a.
Oriental Bank of CommerceOriental bank ની માર્ગદર્શિકા મુજબ

Read More: e Samaj kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?


લોન હેઠળ ઉદ્યોગોનો પ્રકાર

આ યોજના લોન યોજનાનો લાભ નવા ધંધા અને ઉદ્યોગોને ચાલુ કરવા તથા પ્રોત્સહન આપવા માટે આપવામાં આવે છે. નીચે દર્શાવેલ ઉદ્યોગો Mudra Loan Scheme માટે એપ્લિકેશન કરી શકે છે.

  • દુકાનદારો (Shopkeepers)
  • વ્યાપાર વિક્રેતાઓ (Business Vendors)
  • ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ (Food Production industry)
  • કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)
  • નાના ઉત્પાદકો (Small scale manufacturers)
  • સમારકામની દુકાનો (Repair Shops)
  • હસ્ત કલાકારો (Handicraftsmen)
  • સેવા આધારિત કંપનીઓ (Service Based Companies)
  • ટ્રક માલિકો (Truck Owners)
  • સ્વ-રોજગાર ઉદ્યોગ સાહસિકો (Self-employed entrepreneurs)

Read More: Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના


લોનની વિશેષતાઓ

       Mudra Loan Yojana ની નીચે જણાવેલ વિશેષતાઓ છે. જેને કારણે આ યોજનાને સરકારની અન્ય યોજનાઓ કરતાં અલગ પાડે છે.

  • આ લોન યોજના દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરી શકાય છે.
  • ઉત્પાદન, વેપાર અને સેવાઓમાં રોકાયેલા ઉદ્યોગોને સેવા આપવાનો છે.
  • હાલની અને નવી કંપનીઓ બંને પ્રકારની Mudra Loan માટે એપ્લિકેશન કરી શકે છે.
  • PM Mudra Website અને Mudra Mobile App દ્વારા નાગરિકો સીધી Online Apply કરી શકે છે.
  • PMMY  મુદત 3 થી 5 વર્ષ સુધીની હોય છે.
  • Enterprises ને PM Mudra Loan Scheme દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ સાધનોની ખરીદી, મશીનરી ખરીદવા, સ્ટાફની ભરતી વગેરે માટે ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્ર છે.
  • Mudra Loan યોજના હેઠળ ત્રણ યોજનાઓ છે.
PM Mudra Loan Yojana 2023 | પીએમ મુદ્રા યોજના

Types of Mudra Loans

Mudra Loan Yojana ત્રણ પ્રકારે આપવામાં આવે છે. (1) Shishu Mudra Loan Yojana (2) Kishor Mudra Loan Yojana (3) Tarun Mudra Loan Yojana. કંપનીના વિકાસના સ્તર અને નાણાંકીય જરૂરીયાતોને આધારે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ ત્રણેયને MUDRA LOAN તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે Mudra Loan Products ને વિગતવાર જાણીએ.

શિશુ લોન યોજના (Shishu Loan Yojana)

આ લોન યોજનામાં સુક્ષ્મ અથવા નાના વ્યવસાયના માલિકોને સૌથી વધુ ફાયદો છે. કારણ કે, તેઓ રૂ.50,000/- સુધીની લોન માટે એપ્લિકેશન કરી શકે છે. જે કંપનીઓને તેમનો નવો વ્યવસાય શરૂ કરવો છે તેમના માટે આ શિશુ લોન યોજના ખૂબ સારી રહેશે. આ કેટેગરીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે વ્યવસાયકારોએ ખરીદી માટે જરૂરી મશીનરીના પ્રકાર અને જથ્થાની માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત, મશીનરી સપ્લાયરની વિગતો પણ આપવી પડતી હોય છે. ટૂંકમાં આ લોન મંજૂર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. આ Shishu Loan Yojana પર કોઈ પ્રોસેસિંગ ફી થશે નહી. જેના માટે નીચે પ્રમાણેના Documents જરૂર પડતી હોય છે.

  • મશીનરી તેમજ સાધનો સહિત તમામના Quotation.
  • ખરીદીની વિગતો
  • મશીનરી અને સાધનો પૂરા પાડનાર સપ્લાયર્સની વિગતો

કિશોર લોન યોજના (Kishor Loan Yojana)

PM MUDRA YOJANA હેઠળ કિશોર યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાયની સ્થાપના કરવા માંગતા હોય, તેમના માટે શ્રેષ્ઠ છે. અરજદારો કિશોર લોન યોજના હેઠળ રૂ.50,000/- થી રૂ.5,00,000/- સુધીની લોનની રકમ માંગી શકે છે. Pradhanmantri Mudra Loan હેઠળ Kishor Loan Yojana માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જરૂર પડતી હોય છે.

  • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (જો હોય તો)
  • છેલ્લા 2 વર્ષની બેલેન્સ શીટ
  • Memorandum of Association (MOA) (જો હોય તો)
  • Articles of Association (AOA) (જો હોય તો)
  • અંદાજિત લોનના સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
  • Income Tax Returns & Sales Returns
  • Report of all Business.

તરૂણ લોન યોજના (Tarun Loan Yojana)

તરૂણ લોન યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાય ચાલુ છે, તેમના માટે સારી છે. Tarun Loan Yojana હેઠલ અરજદારો રૂ.10,00,000/- સુધીની લોનની રકમ માંગી શકે છે. આ લોન યોજના હેઠળ તરૂણ યોજના માટે નીચે મુજબના Documents જરૂર પડતી હોય છે.

  • છેલ્લા 2 વર્ષનું બેલેન્સ શીટ
  • Report of all Business.
  • Memorandum of Association (MOA) (જો હોય તો)
  • Articles of Association (AOA) (જો હોય તો)
  • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (જો હોય તો)
  • અંદાજિત લોનના સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
  • ચાલુ નાણાંકીય વર્ષના વેચાણનો હિસાબ
  • Income Tax Returns & Sales Returns
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • સરનામું દર્શાવતું આઈડી પ્રૂફ
  • જાતિ અંગનું પ્રમાણપત્ર

Document Required for Mudra Loan Yojana | મુદ્રા લોન માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

Pradhan Mantri Mudra Loan Yojana માટે Application કરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જરૂરિયાત હોય છે.

  1. આધારકાર્ડ
  2. અરજદારનું પાનકાર્ડ
  3. સરનામું દર્શાવતો દસ્તાવેજ
  4. પાસપોર્ટ સાઇઝના ફોટા
  5. ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
  6. ધંધાના લાયસન્સના પુરાવા
  7. મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
  8. ઈન્‍કમ ટેક્ષ રિર્ટનના દસ્તાવેજો

Read More: How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવું?


How to Online Apply PM Mudra Loan Yojana । પીએમ મુદ્રા લોન માટે કેવી રીતે અરજી કરવી?

પી.એમ મુદ્રા લોન યોજના ઓનલાઈન પણ કરી શકાય છે. નીચે આપેલા  પગલાંને અનુસરીને પીએમ મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય.

  • સૌપ્રથમ Google માં જઈને PM Mudra Loan યોજના ટાઈપ કરવું.
  • જેમાં સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
How to Online Apply PM Mudra Loan Yojana
  • આ અધિકૃત વેબસાઈટ પરથી https://www.mudra.org.in/ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
  • નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
  • જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
  • બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.(બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
  • ત્યારબાદપસંદ કરેલ બેંક ડોક્યુમેન્‍ટની ચકાસણી કરશે.
Mudra Loan yojana Login
  • છેલ્લે, વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Read More: PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.


FAQs-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું પી.એમ. મુદ્રા લોન યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે ?

જવાબ: હા, તમે પી.એમ. મુદ્રા લોન અધિકૃત Website https://www.mudra.org.in/પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

2. PM Mudra Card શું છે ?

જવાબ: એકવાર લોન મંજુર થઈ ગયા પછી સરળતાથી ક્રેડિટ ઉપાડવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યું છે.

3. પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ લોન પરત ચૂકવણી માટે સમય કેટલો હોય છે ?

જવાબ: અરજદારો દ્વારા મેળવેલ લોન ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.

4. Mudra Loan ની લોન પાસ થવાનો સમય કેટલો હોય છે ?

જવાબ: આ લોન યોજના હેઠળ પ્રોસેસિંગ સમય 24 કલાકનો હોય છે.

5. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેટલી લોન મળે છે?

જવાબ: દેશના નાગરિકોને આ લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળે છે.

6.  Mudra નું Full Form  શું છે ?

જવાબ: Mudra નું પૂરુંનામ Micro Units Development & Refinance Agency

1 thought on “PM Mudra Loan Yojana 2023 | પીએમ મુદ્રા યોજના હેઠળ 50,000 થી 10 લાખ સુધી લોન મળશે.”

Leave a Comment

close button