Gujarat Government Schemes

રેશનકાર્ડ સંબંધિત સેવાઓ આટલા દિવસ રહેશે બંધ.. જાણો ક્યારે ચાલુ થશે સેવાઓ.

Advertisement

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા મહત્વના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. આ અગત્યના સમાચાર રેશનકાર્ડની સેવાઓ બાબતના છે. તો સમાચાર શું છે? તેની તમામ જાણકારી મેળવીશું.

Ration Card Service Stop News

               રાજ્યમાં તમામ નાગરિકો રેશનકાર્ડ ધરાવે છે. આ રેશનકાર્ડમાં સુધારા કે વધારા કરવા બાબતના મહત્વના સમાચાર આવ્યા છે. આ સુધારા કે વધારા ડિજીટલ ગુજરાત પોર્ટલ પર થાય છે. રેશનકાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ અગત્યના સમાચાર અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા આ બહાર પાડવામાં આવેલ છે.


અગત્યની બાબતો

વિગતવધુ માહિતી
આર્ટિકલનું નામરેશનકાર્ડ સંબંધિત સેવાઓ આટલા દિવસ રહેશે બંધ.. જાણો ક્યારે ચાલુ થશે સેવાઓ.  
રેશનકાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે બંધ રહેશે.હા
કઈ તારીખ સુધી રેશનકાર્ડની સેવાઓ બંધ રહેશે?તા-03/07/2024 થી 07/07/2024 સુધી બંધ રહેશે.
કયા વિભાગ દ્વારા આ જાહેરાત કરેલ છે?અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત

Read More: Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024


રેશનકાર્ડ સંબંધિત શું જાહેરાત કરેલ છે?

         જાહેર વિતરણ વ્યવસ્થા સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે આ જાહેરાત કરેલ છે. સરકારના રેશનકાર્ડના ડેટા બેઝ સર્વરના માઈઝેશનની કામગીરી ચાલુ હોવાથી રેશનકાર્ડ સાથેની સેવાઓ બંધ રહેશે. આ સેવાઓ તારીખ- 03/07/2024 ને બુધવાર થી તા- 07/07/2024, રવિવાર સુધી ઉપલબ્ધ રહેશે નહિં.

         આ અંગેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ, જિલ્લાની ક્ચેરીઓ, તાલુકાની કચેરી, ગ્રામ પંચાયત કચેરીઓ તથા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને ધ્યાને લેવા વિનંતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker