WhatsApp ગ્રૂપમાં જોડાવો!
સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના | Surakshit Matritva AashwasanYojana

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023 | Surakshit Matritva Aashwasan (SUMAN) Yojana

પ્રિય વાંચકો, દેશની સરકાર બાળકો અને મહિલાઓના વિકાસ માટે અવિરત પણે કામ કરી રહી છે. તેમાં અનેક યોજનાનો સમાવેશ થાય છે, જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને વ્હાલી દીકરી યોજના. આ યોજનામાં વધારો કરતાં એક નવી યોજના એટલે કે, સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના શરૂ કરી છે. આ સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના કે, જેનું ટૂંકું નામ સુમન યોજના પણ છે. આ આજના આ આર્ટીકલમાં આપણે સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના વિષે વિગતવાર ચર્ચા કરીશું.

Surakshit Matritva Aashwasan Yojana

સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના હેઠળ, જે મહિલાઓ તેમના પરિવારની સગર્ભા સ્ત્રીઓનું કુટુંબ નબળું હોવાને કારણે તેમની યોગ્ય કાળજી લઈ શકતી નથી. કે જેમના પરિવારના સભ્યો હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી, તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. આ યોજના હેઠળ, મહિલા ગર્ભવતી થયાના 6 મહિનાથી લઈને બાળકના જન્મ પછી 6 મહિના સુધી મફત સારવાર, દવાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

Highlight of Surakshit Matritva Aashwasan (SUMAN) Yojana

યોજનાનું નામસુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના
યોજનાની શરૂઆતતારીખ 10 ઓક્ટોબર 2019
લાભાર્થીઓદેશની ગરીબ સગર્ભા સ્ત્રીઓ
હેતુસગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓને
મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવી
અરજી પ્રક્રિયાઑફલાઇન
અધિકૃત વેબસાઇટsuman.nhp.gov.in
Highlight

Read More: GeM Portal Registration 2023


સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાના ઉદ્દેશ્યો-

આ યોજનાનો હેતુ એ છે કે, દેશના તમામ પરિવારો કે જેઓના ઘરમાં ગર્ભવતી મહિલાઓ છે. અને પરિવારના સભ્યો તેમની હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકતા નથી કે, આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડી શકતા નથી તેમણે મદદ પૂરી પાડવાનો છે. ઘણી વખત ગરીબ મહિલાઓના જન્મ સમયે સુવિધાના અભાવે બાળક મૃત્યુ પણ પામે છે. આ યોજના હેઠળ સરકાર તમામ ગરીબ મહિલાઓને બાળકના જન્મ સુધી વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડશે અને તેની સાથે પ્રસૂતિ સમયે શિક્ષિત અને પ્રશિક્ષિત ડોકટરો અને નર્સો પણ આપવામાં આવશે. મહિલાઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે જેથી તેમને ડિલિવરી સમયે કોઈ મુશ્કેલી ન પડે અને તેમને તમામ સુવિધાઓ મળી શકે.


Read More: સક્ષમ શિષ્યવૃત્તિ યોજના


સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાના લાભો

  • આ યોજના જાહેર આરોગ્ય સુવિધાઓમાં શૂન્ય ખર્ચની ડિલિવરી તેમજ સી-સેક્શન સુવિધાનો લાભ આપે છે. 
  • આ યોજનામાં લાભાર્થીઓને પ્રસૂતિ પહેલાની તપાસ અમે 1 લી ત્રિમાસિક દરમિયાન એક તપાસ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન હેઠળ એક ચેક-અપ પણ મળશે.
  • આ યોજનામાં આવરી લેવામાં આવતા ઘટકો 
    • ટિટાનસ-ડિપ્થેરિયા ઈન્જેક્શન
    • આયર્ન-ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન
    • છ ઘર-આધારિત નવજાત શિશુઓની સંભાળની મુલાકાતો
    • ANC પેકેજના ઘટકો
  • આ યોજનામાં સગર્ભા મહિલાઓને ઘરેથી આરોગ્ય સુવિધા સુધી મફત પરિવહન તો મળશે અને તેની સાથે ડિસ્ચાર્જ થયા બાદ તેમને પાછા પણ મુકવામાં આવશે.
  • સલામત માતૃત્વ માટે કાઉન્સેલિંગ તેમજ IEC/BCC સુવિધાઓ
  • આ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને તેમની તબીબી સુવિધાઓમાં મુશ્કેલી વિના પ્રવેશ પણ મળશે.

Read More: યુએન નંબર કેવી રીતે જનરેટ કરવો


સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજનાની પાત્રતા

દરેક સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુઓ આ સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના હેઠળના લાભો મેળવવા માટે પાત્ર છે. પરંતુ કેટલીક સામાન્ય આવશ્યકતાઓ છે.

  • આ યોજના માં APL અને BPL સહિત તમામ કેટેગરીની સગર્ભા સ્ત્રીઓ લાભ મેળવવા માટે પાત્ર છે. 
  • યોજનામાં 0 થી 6 મહિનાના નવજાત શિશુઓ પણ લાભ મેળવી શકશે. 
  • આ યોજનામાં ડિલિવરી પછી, ડિલિવરીથી 6 મહિના સુધીની સ્તનપાન કરાવતી માતાઓ પણ પાત્ર છે.

Surakshit Matritva Aashwasan Yojana અરજી પ્રક્રિયા

  • આ યોજનાની અરજી તમારે ઓફલાઈન માધ્યમથી કરવી પડશે.
  • આ યોજનાની નોંધણી માટે તમારે સૌપ્રથમ તમારા વિસ્તારની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડશે.
  • ત્યાં તમારે યોગ્યતાના માપદંડોને પરિપૂર્ણ કરવા ઉલ્લેખિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે. 
  • જિલ્લાઓની તમામ સિવિલ હોસ્પિટલો આરોગ્ય મંત્રાલયના નિયમોનું ફરજીયાત પણે પાલન કરે છે.
  • જો કોઈ સમસ્યા હોય તો વ્યક્તિઓ SUMAN વેબસાઇટ પર લૉગ ઇન કરી શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકે છે.
  • આ માટે વ્યક્તિઓએ ચકાસણી સાબિત કરવા માટે અમુક દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે. 

Read More: થ્રી વ્હીલર લોન યોજના


SUMAN યોજનાના જરૂરી દસ્તાવેજો

  • ઓળખનો પુરાવો
    • આધાર કાર્ડ
    • પાન કાર્ડ
    • ડ્રાઇવિંગ લાઇસન્સ
    • મતદાર ઓળખ કાર્ડ
  • સંબંધિત હોસ્પિટલમાંથી મહિલાની ગર્ભાવસ્થાની વિગતો
  • સરનામાનો પુરાવો
    • માન્ય પાસપોર્ટ
    • યુટિલિટી બિલ
    • પ્રોપર્ટી ટેક્સ બિલ
    • ટેલિફોન બિલ

Surakshit Matritva Aashwasan Yojana

Read More: તમામ સરકારી યોજનાઓની માહિતી માય સ્કીમ પોર્ટલ પરથી મેળવો.


FAQ

1. સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના ઉદ્દેશ્ય શું છે?

Ans. આ યોજનાનો ઉદ્દેશ્ય વસ્તીને સ્થિર કરવાનો છે, શ્રેષ્ઠ માતા અને બાળકના સ્વાસ્થ્ય અને કુટુંબ આયોજનની ખાતરી કરવી.

2. શું સુમન યોજના દરેક મહિલા માટે લાગુ છે?

Ans. હા, સુમન યોજના દરેક સગર્ભા સ્ત્રી માટે લાગુ છે. તેઓએ સિવિલ હોસ્પિટલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

3. સુમન યોજના માટે કઇ રીતે અરજી કરી શકાય?

Ans. સુમન યોજના માટે તમારે ઓફલાઇન માધ્યમથી અરજી કરી શકો છો જે ઉપરના આર્ટીકલમાં દર્શાવેલી છે.

Leave a Comment

close button