Short Briefing: Loan For Tabela In Gujarat | પશુપાલન લોન યોજના | Tabela Loan Yojana Gujarat 2023 | તબેલા માટેની લોન યોજના દ્વરા લાભાર્થીઓને રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે
રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આદિજાતિ વિભાગ દ્વારા પણ ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે. જેમ કે બ્યુટી પાર્લર લોન યોજના, લેપટોપ લોન યોજના વગેરે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Tabela Loan Yojana Gujarat 2023 વિશે ટૂંકમાં માહિતી તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Tabela Loan Yojana Gujarat 2023
તબેલા લોન યોજના 2023 ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Vibhag Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે. તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
Hightlight Point of Tabela Loan Yojana Gujarat
યોજનાનું નામ | તબેલા લોન યોજના 2023 |
આર્ટિકલનું નામ | તબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
Official Website | Office Website |
Online Apply | Direct Online Apply |
Read More: આયુષ્માન ભારત યોજના યાદી 2023 | Ayushman Bharat Yojana 2023 List
તબેલા લોન યોજના માટેની પાત્રતા
તબેલા લોન યોજના 2023 માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ બાબત વિશે થોડું જાણી લઈએ.
- લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
- લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
- લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
- તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈશે.
- તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
- કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
- છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
- તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
- અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.
Read More: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023
તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો
Tabela Loan Scheme માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.
- લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

How to Online Apply of Tabela Loan Yojana 2023
આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. S.T. જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.



- જેમાં Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- હવે તમને Home Page પર “”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો : પીએમ કિસાન પોર્ટલના આ ખેડૂતોને જ પૈસા મળશે, તમારું નામ અહીંથી ચેક કરો.
Sing Up
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.



Application Login
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
My Application
- Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.



- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- છેલ્લે, કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
Read More: મુદ્રા લોન યોજના શું છે? । What Is Mudra Loan Scheme In Gujarati
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કોનો સંપર્ક કરો
આ લોન યોજના ગુજરાતના આદિકાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જેથી આ યોજનાની વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાના આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટીદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
Important links of Tabela Loan Scheme
Adijati Nigam Gujarat Official Website | Adijati Nigam Official Website |
Direct Online Apply for Tabela Loan Scheme | Direct Online Tabela Yojana |
Login here | Click Here |
Register Here | Registration Now |
Home Page | Click Here |
Read More: PM Kisan KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો
જવાબ: ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 4 લાખની લોન આપવામાં આવે છે.
જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
જવાબ: ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) જ્ઞાતિના નાગરિકોને આ લોન આપવામાં આવે છે.
જવાબ: તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.