WhatsApp ગ્રૂપમાં જોડાવો!
વાહન અકસ્માત સહાય યોજના | Vahan Akasmat Sahay Yojana

વાહન અકસ્માત સહાય યોજના | Vahan Akasmat Sahay Yojana

Short Briefing : ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના | Gujarat Vehicle Accident Aid Scheme 2023 | અકસ્માત બાદ ૪૮ કલાક સુધી મળશે મફત સારવાર જાણો કેવી રીતે

મિત્રો આ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે. ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેવી કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની સુરક્ષા યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડ કેવી રીતે Download કરવું તેની માહિતી મેળવી શકાય છે.

  આ ગુજરાત સરકાર વાહન અકસ્માત સહાય યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવીશું. અરજદારને આ યોજનાથી શું લાભ થશે?, અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

Vahan Akasmat Sahay Yojana

આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે, તેમ તેમ Accident ના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. નિષ્ણાંત ડોક્ટરોના મત અનુસાર, જો Accident થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળવી જોઈએ. જો તાત્કાલિક સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે. અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન અવર છે.

જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનુ પ્રમાણ ટાળી શકાય છે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે Vahan Akasmat Sahay Yojana અમલમાં મુકેલ છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવા માટે  આ યોજના અમલમાં મુકેલ છે.  જેના વિશે વધુ માહિતી આપણે આ જ આર્ટિકલમાં જાણીશું.

Highlight Point

યોજના નું નામVahan Akasmat Sahay Yojana
યોજનાની શરૂઆત કોણે કરીગુજરાત સરકાર
યોજનાનો હેતુવાહન અકસ્માત માં ઇજા પામનારને
મફત તબીબી સારવાર પૂરી પાડવી
લાભાર્થીઅકસ્માત માં ઇજાગ્રસ્ત વ્યક્તિ
Vahan Akasmat Yojana pdfDownload Now
Official Websitehttps://gujhealth.gujarat.gov.in/
નિયમિત માહિતી માટે તમારા જિલ્લાના ગ્રુપમાંં જોડાઓ. તમારા જિલ્લાના સરકારી યોજનાના ગ્રુપમાંં જોડાઓ.

Read More: PM Svanidhi Yojana । રુપિયા 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.


યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પુરી પાડવી. જેમાં સરકાર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને Accident ના 48 કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે.   


Read More: PM Kisan 16th Installment Date 2024 । જાણો 2000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે?


વાહન અકસ્માત સહાય યોજના માટે પાત્રતા

    આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે. કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્‍ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાંએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.


Read More: PM Janman Yojana 2024 | આદિવાસી સમાજના નાગરિકોને મળશે અનેક લાભો.


વાહન અકસ્માત સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Vehicle Accident નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે. જેમાં થયાના પ્રથમ 48 કલાકમાં અપાયેલ સારવાર, ઓપરેશન,વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર  50,000/- ની મર્યાદામાં સીધેસીધો હોસ્પિટલને ચૂકવે છે.

  આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે, તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે. તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે. તે હોસ્પિટલમાં ઉપલ્બ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો ત્યાંથી ઇજાગ્રસ્ત આ સારવાર મેળવી શકે છે.  જેનું ચૂકવણુ દાખલ થયેલ  હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ હોય છે. ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચુકવણુ કરવામાં આવતુ હોય છે.

આ યોજનામાં ઇજાગ્રસ્તને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે. ઇજાગ્રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઇ નાણાં ચૂકવવાના રહેતાં નથી.

Vahana Akasmat Sahay Yojana

Read More: Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.


FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    વાહન અકસ્માત સહાય યોજના શું છે?

જવાબ: આ યોજનામાં અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્તને અકસ્માતના  પ્રથમ 48 કલાક સુધી  નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

2.    Vahan Akasmat Sahay Yojana નો ઉદેશ્ય શું છે?

જવાબ: a.    યોજનાનો હેતુ અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળી રહે તેમજ અકસ્માતમાં મૃત્યુ દરમાં ઘટાડો કરવાનો છે. 

3.    ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજનામાં શું લાભ મળે ?

જવાબ: a.    વાહન અકસ્માત સહાય યોજનામાં અકસ્માત ના 48 કલાક સુધી 50,000/- ની મર્યાદામાં નિશુલ્ક સારવાર મળી રહે છે.

3 thoughts on “વાહન અકસ્માત સહાય યોજના | Vahan Akasmat Sahay Yojana”

  1. આપ ની મુજબ સરકાર દ્વારા રકમ જે નક્કી કરી છે એ સિવિલ હોસ્પિટલ સિવાય પ્રાઇવેટ હોસ્પિટલ વાળા માન્યા રાખશે નહિતર એવું ના થાય કે પછી એ લોકો અકસ્માત વાળા દર્દી ને આપવા પડે

    Reply
  2. Pl circulate this in every hospital, privet or govt.because to implement strictly there must be check point .if hospital denies then what is the remedy.

    Reply
  3. Pl circulate this in every hospital, privet or govt.because to implement strictly there must be check point .if hospital denies then what is the remedy.
    Earlier I have not send any comments on above subject

    Reply

Leave a Comment

close button