Karuna Animal Ambulance -1962 | Animal Helpline Gujarat | Animal Helpline Number 1962 | Animal Helpline Number Gujarat Government | Save Bird Helpline Number
ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયાના ભાવ સાથે ગુજરાત સરકારે શરૂ કરેલો સેવાયજ્ઞ એટલે કરુણા અભિયાન. આ યોજના ગુજરાતની વન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. કોઈ પક્ષી જીવ ન ગુણાવે તે માટે રાજ્ય સરકારનો શ્રેષ્ઠ અભિગમ એટલે Karuna Abhiyan 2022. ઉત્તરાયણ પર ઘવાયેલાં પક્ષીઓની સારવાર માત્ર અગાઉ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ચાલુ કરેલ છે.
Karuna Animal Ambulance -1962
ગુજરાત સરકારના નાયબ પશુપાલન નિયામક દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 બહાર પાડવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સનું સમગ્ર સંચાલન 108 GVK EMRI, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા મુંગા પશુઓને ઈજા કે રોગ માટે તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ચાલુ કરેલ છે.
Link for Wildlife Helplines
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઈજા પામેલા પશુઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હેલ્પલાઈન માટે લિંક જાહેર કરેલ છે. આ હેલ્પલાઈન લિંક માનવરહિત છે. જેમાં Reply Auto થાય છે. તમારી આસપાસ કોઈપણ વન્યજીવન સંબંધિત મુદ્દા માટે જેમ કે બચાવ માટેની વિનંતી, પશુ મૃત્યુના વળતર માટેની અરજી અથવા કોઈપણ વન ગુનો વગેરેની સૂચના આપવા માટે ઉપયોગ કરી શકાય છે.
આ હેલ્પલાઇન લિંક ફક્ત જંગલી પ્રાણીઓ માટે છે, પાળતુ પ્રાણી, રખડતા કૂતરાઓ, પશુઓ વગેરે માટે નથી. આવા પ્રાણીઓ માટે કૃપા કરીને એનિમલ હેલ્પલાઈન 1962 નો ઉપયોગ કરવા વિનંતી છે. આ હેલ્પલાઇન લિંક પરથી ગુજરાતના 33 જિલ્લાના તમામ તાલુકાઓના હેલ્પલાઈન મોબાઈલ નંબર આપેલા છે. જેના પર કોલ કરીને ઘવાયેલાં પક્ષીઓની માહિતી આપી શકો છો.
Animal Helpline Number:- 1962
Wildlife Crime Kindly Contact CF-Wildlife Crime Number – 9727727826
Key Points Of Karuna Abhiyan 2022
અભિયાનનું નામ | કરુણા અભિયાન 2022 |
અભિયાનનો મુખ્ય ઉદ્દેશ | ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને પક્ષીઓને બચાવવાનું અભિયાન |
વિભાગ | વન વિભાગ,ગુજરાત |
હેલ્પલાઈન નંબર | 1962 |
WhatsApp Helpline No | 08320002000 |
Govt.Official Website | Click Here |
Animal Helpline by Forest Department
Forest Department, Government of Gujarat દ્વારા ઉત્તરાયણના તહેવાર સમયે પક્ષીઓને બચાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. જો તમારી આસપાસ ઉત્તરાયણ સમયે ઘાયલ હોય તો કરુણા અભિયા 2022 ના Whatsapp પર માહિતી મોકલો. વન વિભાગ દ્વારા નીચેની બાબતોનું ખાસ ધ્યાન આપવામાં જણાવવામાં આવેલ છે.
● પતંગ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી ન ઉડાવવો જોઈએ.
● પતંગ ચગાવવા ચાઈનીઝ દોરી તથા કાચની દોરીનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં કરવો નહીં.
● કોઈપણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચતો જણાય તો પોલીસ તથા વન વિભાગને જાણ કરવી.
● તમારી આજુ-બાજુ કોઈપણ પ્રકારનું ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો.
Karuna Helpline Official Map Link
Forest Department દ્વારા ઓનલાઈન Map પર કરુણા અભિયાન 2022 હેઠળ પક્ષી નિદાન કેન્દ્રો જાહેર કરેલા છે. Online Map Link માં દર્શાવેલ મેપમાં આઈકોન પર ક્લિક કરવાથી વધારાની માહિતી મેળવી શકાશે. આઈકોન પર ક્લિક કરવાથી ગુજરાત રાજ્યના તમામ પક્ષી કેન્દ્રો નામ, મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો દેખાશે. જેના આધારે આપણી આસપાસ ઘવાયેલા કે ઈજા પામેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મેળવી શકાય.
ખાસ નોંધ:- તમારા મોબાઈલમાં Map ઉપરનું Live Location ચાલુ કરવાનું રહેશે.લીલા કલરના બટન દબાવવાથી મેપ આઈકોન પર રજીસ્ટર કરેલ માહિતી પ્રાપ્ત થશે.
Map Link :- https://bit.ly/karunaabhiyan પર ક્લિક કરીને તમારી નજીકના પક્ષી નિદાન કેન્દ્રની માહિતી મેળવી શકાશે.
Karuna Abhiyan 2022 Whatsapp Helpline
ગયા વર્ષે 9000 થી પણ વધારે પક્ષીઓ ઉત્તરાયણના સમયે ઘાયલ થયેલા હતા, જેમાં અંદાજિત 750 થી વધારે પક્ષીઓના કરુણ મૃત્યુ પામેલા હતા. જેને ધ્યાને રાખીને વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા કરુણા અભિયાન-2022 શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ હેલ્પલાઈન નંબર જાહેર કરેલા છે. જેમાં WhatsApp Animal Helpline જાહેર કરેલ છે.
● કરુણા Whatsapp હેલ્પલાઈન નંબર 08320002000 પર “Karuna” ટાઈપ કરીને મેસેજ કરવાનો રહેશે.
Important Points of Karuna Abhiyan 2022
વન વિભાગની વેબસાઈટ | Click Here |
પક્ષી હેલ્પલાઈન નંબર | 1962 |
પક્ષી વ્હોટ્સઅપ હેલ્પલાઈન નંબર | 08320002000 |
પ્રાણીઓની તસ્કરી બાબતે હેલ્પલાઈન નંબર | 9727727826 |
પક્ષી નિદાન કેન્દ્ર જાણવાની લિંક | Click Here |
Home Page | Click Here |
FAQ’s of Karuna Abhiyan 2022
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચાલુ કરેલ છે.
ઘાયલ થયેલા પક્ષીઓને સત્વરે સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ નંબર 1962 છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરુણા અભિયાન માટે 08320002000 Whatsapp Number જાહેર કરેલો છે. આ વ્હોટસએપ પર “Karuna” ટાઈપ કરીને મેસેજ કરવાનો રહેશે.
ગુજરાતમાં કોઈપણ સ્થળે પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન મેપ https://bit.ly/karunaabhiyan ની લિંક જાહેર કરેલ છે.
ગુજરાતમાં વન્ય પ્રાણીઓ તસ્કરી થતી હોય તો વન વિભાગના CF-Wildlife Crime 9727727826 નંબર પર સંપર્ક કરી શકાય છે.
અમારી વેબસાઈટ દ્વારા પણ નમ્ર વિનંતી કરીએ છીએ
ઉત્તરાયણના પર્વ નિમિત્તે આનંદ-ઉલ્લાસ સાથે પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરીએ. અમારી વેબસાઈટ Sarkari Yojana Gujarat દ્વારા તમામ વાંચકો અને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કરુણા અભિયાન-2022 નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીએ. સાથે સાથે તમારી આસપાસ ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા હેલ્પલાઈન નંબર 1962 પર કોલ કરવો. આ વેબસાઈટ આપેલા તમારી આસપાસ પક્ષી નિદાન કેન્દ્રના સંપર્ક નંબર મેળવીને ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે મદદ કરીએ. અને આ સેવાના યજ્ઞમાં આહુતિ આપીએ.