પ્રથમ સુખ તે જાતે નર્યા એ કહેવતને ધ્યાને લેવામાં આવે તો એક માત્ર સુખ એવુ છે. જે આપણે પોતાની રીતે એક સુખને ટકાવી શકીએ છીએ. એ એક માત્ર સુખ પોતાનું આરોગ્ય છે. આરોગ્યની સુખાકારી એ જીવનની શ્રેષ્ઠ સુખાકારી છે. આરોગ્ય માટે આજે આપણે સજાગ બનવાની ખુબ જ જરૂર છે. સરકાર પણ પોતાની પ્રજા આરોગ્યની સુખાકારી મેળવી શકે તે માટે ખુબ જ ઉત્તમ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, આભા કાર્ડ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? બહાર પાડેલી છે. પરંતુ આજે આ આર્ટીકલમાં આપણે Kasturba Poshan Sahay Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું.
આરોગ્ય, પરીવાર અને કલ્યાણ વિભાગ દ્વારા Pradhan Mantri Jan Arogya Yojana, ચિરંજીવી યોજના, બાળ સખા યોજના જેવી યોજનાનો ચલાવવામાં આવે છે. આજે પણ આપણો દેશ ગરીબી નામની બીમારીથી પિડીત છે ત્યારે ગરીબ મહિલાઓને ત્યાં જન્મ લેનાર આપણા ભવિષ્યને આરોગ્ય પ્રદ જીવન મળી રહે તે માટે સરકાર પોતાના અથાગ પ્રયત્ન કરી રહી છે. આજના આ આર્ટીકલમાં આપણે Kasturba Poshan Sahay Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું.
Kasturba Poshan Sahay Yojana
રાજયની શહેરી વિસ્તારના શહેરી પરીવારના ગરીબી રેખા હેથળની (BPL) સગર્ભા માતાને ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સરકાર દ્વારા નિયત થયેલી પદ્ઘતિથી રૂ. 6,000/- ની સહાય ચુકવવામાં આવે છે.
Highlight Point 0f KPSY
યોજનાનું નામ | કસ્તુરબા પોષણ સહાય યોજના |
વિભાગનું નામ | આરોગ્ય, પરીવાર અને કલ્યાણ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી-જિલ્લા પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | સગર્ભા મહિલા (બી.પી.એલ) શહેરી વિસ્તાર |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 6,000/- |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
Official Website | https://gujhealth.gujarat.gov.in |
Read More:- Aadhaar Pan Link Online Process In Gujarati । માત્ર 5 મિનિટમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો.
Read More:- How To Know UAN Number । તમારો UAN નંબર જાણવાની સૌથી સરળ રીત
કોને મળવાપાત્ર છે?
કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ શહેરી વિસ્તારની (BPL) ગરીબી રેખા હેઠળ જીવતી સગર્ભા મહિલાઓને લાભ મળવાપાત્ર છે.
કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ સહાયની ચુકવણી કેવી રીતે કરવામાં આવે છે?
આ પોષણ સહાય યોજના હેઠળ નીચે મુજબ સહાય ચુકવવામાં આવે છે.
- પ્રથમ હપ્તો રૂ. 2,000/- (પ્રથમ 6 માસના ગાળામાં ફિમેલ હેલ્થ વર્કર પાસે નોંધણી કરાવ્યેથી)
- બીજો હપ્તો રૂ. 2,000/- (સરકારી અથવા ચીરજીંવી યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલ ખાતે સુવાવડ કરાવ્યેથી)
- ત્રીજો હપ્તો રૂ. 2,000/– (સુવાવડ થયા બાદ અને ૧૨ માસ પહેલા પ્રથમ ઓરીની અને વિટામીન રસીકરણ કરાવ્યેથી)
- આ યોજના હેઠળ ત્રણ હપ્તામાં કુલ રૂ. 6,000/- ની સહાય મળવાપાત્ર છે.
Read More:- [Divyang Schemes] ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20000/- ની સહાય મળશે.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.
જવાબ: હા, BPL રેશનકાર્ડ અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા નોંધણી કરેલ મમતા કાર્ડ રજૂ કરવાના છે.
જવાબ: હા, શહેરની ચીરંજીવી યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલ નો સમાવેશ થાય છે.