રાજ્ય સરકાર દ્વારા દરેક વર્ગો માટે યોજના બનાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતો યોજનાઓનો લાભ આપવામાં આવે છે. એવી જ રીતે દિકરીઓ માટે વ્હાલી દીકરી યોજના બહાર પાડેલી છે. પરંતુ રાજ્યના બાળકોને સર્વાગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ અને રમત-ગમતના ક્ષેત્રમાં બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે આપણી સરકાર દરેક બાળકોની દરકાર લઈ રહેલ છે. જેને ધ્યાને રાખીને વિદ્યા દીપ વીમા યોજના અમલી બનાવેલ છે. Vidhyadeep Yojana in Gujarati નો લાભ કોણે મળે તેની માહિતી મેળવીશું.
Vidhyadeep Yojana in Gujarati
વિદ્યાદીપ વીમા યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ માટે છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.
Highlight Point of Vidhyadeep Yojana in Gujarati
યોજનાનું નામ | વિદ્યા દીપ વીમા યોજના |
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી- જિલ્લા પંચાયત |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | અનુસૂચિત જાતિના (SC) ના હોવા જોઈએ. |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 50,000/- વીમા રક્ષણ |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
Official Website | http://gujarat-education.gov.in |
Read More:- Janni Surxa Yojana | જનની સુરક્ષા યોજના
Read More:- Poultry Farm Loan Yojana । પોલ્ટ્રી ફાર્મ લોન યોજના
કોને મળવાપાત્ર છે?
અણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય આવે છે. તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.
યોજના માટે જરૂરી ડોકયુમેંટ
વિદ્યા દીપ વીમા યોજના હેઠળ લાભ મેળવવા નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.
- એફ.આઈ.આર. (FIR)
- પંચનામું
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ (અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં)
- અપંગતા અંગેના પ્રમાણપત્ર
- અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાનું પ્રમાણપત્ર
- નિયત નમૂનાનું અરજી પત્રક
- બેન્કની વિગત
યોજના હેઠળ અરજીનો સમયગાળો
આ યોજના હેઠળ 150 દિવસમાં અરજી કરવાની રહેશે. અરજદારો અકસ્માતે અવસાન/ઈજાની તારીખથી નોડલ અધિકારી તરીકે સમક્ષ અરજી કરી શકાય. જેના સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીને રજૂ કરવાનો રહે છે.
Read More:- Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: વિદ્યા દીપ વીમા યોજના વર્ષ ૨૦૦૨ થી અમલી થયેલ છે.
જવાબ: ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ નથી.
જવાબ: નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી નો સંપર્ક કરવાનો રહેશે.
જવાબ: અમલીકરણ કચેરી તરીકે વીમા નિયામકશ્રીની કચેરી
જવાબ: માતા-પિતા (તેમની હયાતી ન હોય તો) ભાઈ-બહેન (તેમની હયાતી ન હોય તો) તેમના કાયદેસરના વારસદાર