આજકાલ દરેક સંથ્થાઑ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણ સ્તરને ઉપર લાવવાનો છે. આ શિષ્યવૃત્તિમાં રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના, SBI Asha Scholarship Program 2022 નો સમાવેશ થાય છે. શું તમે જાણો છો સક્ષમ શિષ્યવૃત્તિ યોજના શું છે? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચો પડશે.
Saksham Scholarship 2023
સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાએ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનું અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા Saksham Scholarship 2023 વિશે તમામ માહિતી મેળવીશું.
Highlight of AICTE Saksham Scholarship 2023
યોજનાનુ નામ | સક્ષમ શિષ્યવૃત્તિ યોજના |
અમલીકરણ કરનારી સંથ્થા | AICTE (All India Council for Technical Education) |
લાભાર્થી | વિકલાગ વિદ્યાર્થીઓ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન માધ્યમથી |
મળવાપાત્ર રકમ | મહતમ 2,00,00 રૂપિયા |
ઓફિશિયલ વેબસાઈડ | http://www.scholarships.gov.in/ |
Read More: Three Wheeler Loan Yojana 2023 | થ્રી વ્હીલર લોન યોજના
સ્કોલરશીપ હેઠળ મળવાપાત્ર મળવાપાત્ર લાભ
- વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક વર્ષ માટે વાર્ષિક 50,000/- એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 4 વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 3 વર્ષ કોલેજ ફીની ચુકવણી અને અન્ય ખર્ચ માટે.
- પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે DBT મોડ દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.
- ઓનલાઈન પોર્ટલ પર સંસ્થાના વડાના પત્ર અને પાસ થવાનું પ્રમાણપત્ર/માર્કશીટ સબમિટ કરીને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા આગામી વર્ષ માટે શિષ્યવૃત્તિનું નવીકરણ કરવામાં આવશે.
Read More: યુએન નંબર કેવી રીતે જનરેટ કરવો । How To Generate And Activate UAN?
શિષ્યવૃત્તિની પાત્રતા
- AICTE દ્વારા મંજૂર કરાયેલી કોઈપણ સંસ્થામાં ઉમેદવારને ડિગ્રી લેવલના કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ડિગ્રી લેવલના કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
- ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% કરતા ઓછી ન હોવી જોઈએ.
- વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ.
- રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા માન્ય આવક પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

શિષ્યવૃત્તિમાંથી બાકાત થવાના કારણો
- જે વિદ્યાર્થીઓ આગલા વર્ગમાં જવામાં નિષ્ફળ થશે તો શિષ્યવૃત્તિ જપ્ત કરશે.
- લાયકાત પરીક્ષા પાસ કરવાના વર્ષ અને ડિગ્રી કોર્સમાં પ્રવેશના વર્ષ વચ્ચેનો ગાળો બે વર્ષથી વધુ ન હોવો જોઈએ.
- જો ઉમેદવાર પાછળના વર્ષમાં નિષ્ફળ જાય/છોડી જાય, તો તે પાછળની શિષ્યવૃત્તિ માટે પાત્ર રહેશે નહીં.
- શિષ્યવૃત્તિનીએ શરતને આધીન છે કે, વિદ્યાર્થીને સંસ્થામાં તેણીના અભ્યાસ દરમિયાન અન્ય કોઈપણ શિષ્યવૃત્તિ, સ્ટાઈપેન્ડ, વગેરેના સ્વરૂપમાં કોઈ નાણાકીય સહાય પ્રાપ્ત કરતો ના હોવો જોઈએ.
- જો અન્ય કોઈપણ સ્ત્રોતોમાંથી કોઈપણ નાણાકીય સહાય પ્રાપ્ત થવાના કિસ્સામાં, શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવશે અને શિષ્યવૃત્તિની સંપૂર્ણ રકમ AICTEને પરત કરવાની રહેશે.
Read More: હવે બાળકોનું પણ બનાવી શકાશે આધાર કાર્ડ, આ છે નવી રીત.
How to saksham scholarship registration
- સૌ પ્રથમ શિષ્યવૃત્તિની ઓફિશિયલ વેબસાઈડ http://www.scholarships.gov.in/ પર જાઓ.

- તેના પછી “New Registration” પર ક્લિક કરો.
- પછી તમારી સામે નોંધણી શિષ્યવૃત્તિ માટેની માર્ગદર્શિકા દેખાશે.
- માર્ગદર્શિકા વાંચ્યા પછી “continue” પર ક્લિક કરો.

- પછી તમારી સામે નોધણી ફોર્મ દેખશે.
- વિગત ભરી નોધણી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારી એપ્લિકેશનના ID અને પાસવર્ડ દેખશે.
- આ ID અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
- પછી આ વેબસાઈડ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction પર જાઓ.
- પછી તમારો ID અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લૉગિન કરો.
- પછી તમારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
- તમને પાસવર્ડ રીસેટ સ્ક્રીન પર મોકલવામાં આવશે. પછી નવો પાસવર્ડ બનાવો.
- પછી “સબમિટ કરો” પર ક્લિક કરો. તે પછી તમને “અરજદારના ડેશબોર્ડ” પર નિર્દેશિત કરવામાં આવશે.
- આગળના પેજ પર “અરજી ફોર્મ” પર ક્લિક કરો. * તરીકે ચિહ્નિત થયેલ વિગતોએ ફરજિયાત ભરી અને દસ્તાવેજો અપલોડ કરો.
- પછી તમે “સેવ એઝ ડ્રાફ્ટ” પર ક્લિક કરો.
Document for Saksham Scholarship Scheme
- આધાર કાર્ડ
- SSC નું પ્રમાણપત્ર અને માર્કશીટની નકલ
- HSC ના પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ
- ITI પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
- ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
- શ્રેણી પ્રમાણપત્ર, જો લાગુ હોય તો.
- અભ્યાસ/ બોનાફાઇડ પ્રમાણપત્ર
- વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
- નવીકરણના કિસ્સામાં પ્રમોશન પ્રમાણપત્ર
FAQ
Ans. સક્ષમ શિષ્યવૃત્તિ યોજના એ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનુ અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે.
Ans. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે.
Ans. સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% વધુ હોય અને વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે.