WhatsApp ગ્રૂપમાં જોડાવો!
પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.

પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.

               ભારત દેશમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને વિવિધ સેવાઓ અને યોજનાઓ બહાર પાડવામાં આવે છે. દેશમાં ઘણા ડોક્યુમેન્‍ટ માટે પણ સરકાર અગત્યના નિર્ણય લેતી હોય છે. સરકાર દ્વારા પાસપોર્ટ માટે “ઈ પાસપોર્ટ ઓનલાઈન અરજી” કરી શકો છો. પરંતુ આજે પાસપોર્ટ વેરીફિકેશન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંગેની વધુ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Passport Verification Process News

ગુજરાત સરકાર દ્વારા પાસપોર્ટ માટે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે Passport Verification Process News સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને લઈને અરજદારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારમાં શું-શું કરવામાં આવ્યા છે. તેની માહિતી મેળવીશું.

Highlight Point of Passport Verification Process News

આર્ટિકલનું નામપાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.
પાસપોર્ટ માટે પોર્ટલનું નામPassport Sewa Portal
આર્ટિકલનો પ્રકારઅગત્યના ફેરફાર સબંધિત
નવા પાસપોર્ટ માટે
કોણ અરજી કરી શકે છે?
ભારતના દરેક નાગરિક
અરજી કરવાની રીતOnline
Official LinkClick Here

Read More: Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.


પાસપોર્ટ વેરિફિકેશન માટે ક્યાં-ક્યાં સુધારા કરવામાં આવ્યા?

         અરજદારો માટે પાસપોર્ટ વેરિફિકેશન માટે ફેરફાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • પોલીસ સ્ટેશન ખાતે અરજદારોને રૂબરૂ બોલાવવાની જરુરીયાત રહેતી નથી.
  • ફક્ત અરજદારની નાગરિકતા તેમજ અરજદારના ગુનાહિત પૂર્વ ઈતિહાસની ચકાસણી કરવાની રહે છે.
  • પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી.
  • પોલીસે પાસપોર્ટ અરજદારોને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની જરૂરીયાત રહેતી નથી.
  • જે કિસ્સામાં પોલીસને એવી જરૂરીયાત જણાય કે, પાસપોર્ટ અરજદારોની વધુ ખરાઈ કરવાની આવશ્યકતા છે, તેવા કિસ્સામાં જ પોલીસે અરજદારોના રહેણાક સ્થળની મુલાકાત કરવી જોઈએ.

Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.


પોલીસ મહાનિર્દેશકના પરિપત્રમાં પોલીસકર્મીને શું નિર્દેશ કરાયો?

પોલીસ મહાનિર્દેશકે દ્વારા અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓને જણાવવામાં આવ્યું છે કે, પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂરિયાત રહેતી નથી. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા ચકાસણી કરવાની રહેશે. તથા અરજદારના ગુનાહિત ઈતિહાસની ખરાઈ કરવાની રહે છે. પોલીસે અરજદારના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી. નવો પાસપોર્ટ કઢાવવા માટે અરજદારને રૂબરૂ બોલાવવાની જરૂર નથી. તથા અરજદારની સહી તથા અન્ય ડોક્યુમેન્‍ય લેવાની જરૂર નથી.


Passport Verification Process News

Read More: Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના


ખાસ અને અગત્યના કિસ્સાઓમાં બોલાવી શકશે પોલીસ

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ખાસ અને અગત્યના કિસ્સાઓમાં પોલીસ અરજદારને બોલાવી શકશે. અને જરૂરિયાત જણાય તો પાસપોર્ટ અરજદારોની વધુ ખરાઈ કરવાની આવશ્યકતાના કિસ્સામાં જ અરજદારના રહણાંક સ્થળની મુલાકાત લઈ શકશે.

Leave a Comment