Manav Kalyan Yojana Online Registration 2022 Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પ્રોસેસ | Manav Kalyan Yojana Online Application Last Date | e Kutir Gujarat Gov in | e Kuti Gujarat
કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા આ યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. Manav Kalyan Yojana Online Form 2022 Gujarat ના e-Kutir Portal પર ઓનલાઈન ફોર્મ ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
Manav Kalyan Yojana Online 2022
Commissioner of Cottage and Rural Industries દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. પરંતુ ચાલુ વર્ષે 2022 માં E Samaj Kalyan Portal ની માફક ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. e-Kutir Gujarat પર Manav Kalyan Yojana Online 2022 Form ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.
Documents Required Of Manav Kalyan Yojana
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. Online Application કરતી વખતે કેટલાક ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- લાભાર્થીનું રેશનકાર્ડ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવકનો દાખલો (સમક્ષ અધિકારીશ્રીનો)
- ધંધાના અનુભવનો દાખલો
- ચૂંટણી ઓળખપત્રની નકલ
- લાભાર્થીની આધારકાર્ડની નકલ
માનવ ગરિમા યોજનાએ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી યોજના છે, જેની માહિતી માટે અહીં ક્લિક કરો.
Important Point of Manav Kalyan Yojana Online Form 2022 Gujarat
આર્ટિકલનું નામ | Manav Kalyan Yojana Online Form 2022 Gujarat |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | Online |
Official Website-1 | http://www.cottage.gujarat.gov.in/ |
Official Website-2 | https://e-kutir.gujarat.gov.in/ |
Last Date | તા-15/03/2022 થી 15/05/2022 સુધી |
યોજનાની વધુ માહિતી માટે | Click Here |
આ પણ વાંચો - Ikhedut Portal 2022 New List | આઈ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨
Manav Kalyan Yojana List
Manav Garima Yojana Gujarat 2022 Online Form દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ટ્રેડનું નામ |
1 | કડિયા કામ |
2 | સેન્ટિંગ કામ |
3 | વાહન સર્વિસીંગ અને રિપેરીંગ |
4 | મોચીકામ |
5 | દરજીકામ |
6 | ભરતકામ |
7 | કુંભારી કામ |
8 | વિવિધ પ્રકારની ફેરી |
9 | પ્લમ્બર |
10 | બ્યુટી પાર્લર |
11 | ઈલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
13 | સુથારીકામ |
14 | ધોબીકામ |
15 | સાવરણી સુપડા બનાવનાર |
16 | દૂધ-દહિં વેચનાર |
17 | માછલી વેચનાર |
18 | પાપડ બનાવટ |
19 | અથાણા બનાવટ |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
21 | પંચર કીટ |
22 | ફ્લોર મિલ |
23 | મસાલા મિલ |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) |
25 | મોબાઈલ રિપેરીંગ |
26 | પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ) |
27 | હેર કટિંગ (વાળંદ કામ) |
28 | રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.) |
આ પણ વાંચો- e-HRMS Gujarat Portal પર આંગણવાડી ભરતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
Manav Kalyan Yojana 2022 Apply Online
કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana 2022 Apply Online કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેથી Google Search Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
- જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana Online Form 2022” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
- E-Kutir Portal 2022 પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
- હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
- જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
- ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
- હવે “Login to Portal” પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
- માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
- હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
- Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતલાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Manav Kalyan Yojana Online Last Date
e-kutir Gujarat પર Manav Kalyan Yojana નું ઓનલાઈન ફોર્મ ભરાય છે. નાગરિકોને નવો વ્યવસાય કરવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય મળશે. Manav Kalyan Yojana Online Last Date નક્કી કરેલી છે. e-Kutir Portal પર તા-15/03/2022 થી 15/05/2022 સુધી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.
FAQ’s of Manav Kalyan Yojana Online Form 2022 Gujarat
કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે.
લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Gujarat પરથી Online Form ભરવાનું રહેશે.
અરજદારો જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” નો સંપર્ક કરી શકાશે.
ગુજરાતના લાભાર્થીઓ આ યોજનાની ઓનલાઈન અરજી e-Kutir Portal પર તા-15/03/2022 થી 15/05/2022 સુધી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.
2 thoughts on “Manav Kalyan Yojana Online Form 2022 Gujarat| માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ”