માલ વાહક વાહન પર સબસીડી 2023 । Khedut Mal Vahak Vahan Sahay Yojana

Short Brief: Mal Vahak Vahan Yojana 2023 | Kishan Parivahan Yojana Online | કિસાન પરિવહન યોજના વિશેની ગુજરાતીમાં માહિતી । ikhedut Portal subsidy |  માલ વાહક વાહન યોજનામાં કુલ 75,000 સુધી સબસીડી મળવાપાત્ર છે.

ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતી કામમાં અવનવી રીતો અપનાવીને, પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે.

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની માલ વાહક વાહન પર સબસીડી 2023 વિશે વાત કરીશું. Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે આઈ ખેડૂતો પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેની માહિતી મેળવીશું.


Khedut Mal Vahak Vahan Sahay Yojana

કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે માલ વાહક વાહન પર સબસીડી 2023 બહાર પાડેલ છે.


માલ વાહક વાહન પર સબસીડીનો હેતુ

ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી, પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.


Hightlight of Khedut Mal Vahak Vahan Sahay Yojana

યોજનાનું નામમાલ વાહક વાહન પર સબસીડી 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા
માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના પાત્રતા ધરવતા ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવીikhedut Online Application
અરજી કરવાની છેલ્લી તારીખતા: 05/06/2023 થી 04/07/2023 સુધી
Hightlight Point of Mal Vahak Sahay Yojana
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: ખેતીવાડી ની યોજનાઓ 2023 | Khetiwadi Yojana Gujarat 2023 List

Also Read More: આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.


માલ વાહક વાહન યોજના માટેની પાત્રતા

કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. કૃષિ વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે તે નીચે મુજબ છે.

  • અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, એસ.ટી,એસ.સી,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

માલ વાહક વાહન યોજનાની સાધન ખરીદીની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.

  • આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.

માલ વાહક વાહન પરિવહન યોજનાનું સહાય ધોરણ

કિસાન પરિવહન યોજનામાં  ikhedut  subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2023 અન્‍વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

સામાન્ય અને અન્ય ખેડૂતોને Kisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોનેકિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
Kisan Parivahan Yojana Benefit

Document Required of Mal Vahan Parivahan Yojana | ક્યાં-ક્યાં ડોક્યમેન્‍ટ જોઈએ?

ikhedut Portal પર ચાલતી Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈએ.

1. ikhedut Portal 7-12 (Anyror Gujarat 7/12 પરથી ડાઉનલોડ કરી શકાય)

2. લાભાર્થીના આધારકાર્ડની નકલ (આધારકાર્ડ ડાઉનલોડ કરો.)

3. જો ખેડૂત S.C.જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

4. જો ખેડૂત S.T. જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

5. રેશનકાર્ડની નકલ

6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

7. વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)

8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

12. લાઈસન્‍સ


માલ વાહક વાહન પર સબસીડી 2023 । Khedut Mal Vahak Vahan Sahay Yojana

How to Online Apply Mal Vahak Vahan Sahay Yojana |કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

માલ વહન પરિવહન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
Kishan Parivahan Yojana Online Registration | કિસાન પરિવહન યોજનાની માહિતી । ikhedut portal subsidy |
Image of Government Offcial Portal (Ikhedut Portal)
  • જેમાં “માલ વાહક યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Kishan Parivahan Yojana Online Registration । Image of Government Offcial Portal (Ikhedut Portal)
Image of Government Offcial Portal (Ikhedut Portal)
  • લાભાર્થી ખેડૂતે કિસાન પરિવહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

iKhedut Portal Application Status & Re-Print | અરજીની પ્રિન્‍ટ કેવી રીતે કાઢવી

લાભાર્થી ખેડૂત ikhedu application status online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.

1ikhedut portal Status
2Application Print
Application Status & Re-Print

Online Application Last Date । અરજી કરવાની છેલ્લી તારીખ

Kisan Parivahan Yojana Online Apply કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તા: 05/06/2023 થી 04/07/2023 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.


Read More: Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

Also Read More: Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.


FAQ’s– વારંવાર પૂછાતા પ્રશ્નો

1. માલ વાહક વાહન યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: રાજ્ય કક્ષાએ કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. અને જિલ્લા કક્ષાએ વધુ માહિતી માટે ખેતી નિયામકશ્રીની કચેરી સંપર્ક કરી શકાશે.

2. Khedut Mal Vahak Vahan Sahay Yojana હેઠળ કેટલો લાભ મળે?

જવાબ: ગુજરાતના ખેડૂતો જેઓ નાના,સીમાંત,મહિલા,એસ.સી, એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. તથા સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

3. માલ વાહક વાહન યોજના અન્ય ક્યા નામથી ઓળખાય છે?

જવાબ: આ યોજના અન્ય કિસાન માલ વાહન યોજના તરીકે ઓળખાય છે.

4. કિસાન માલ વાહન યોજનાઓ ઉદ્દેશ શું છે?

જવાબ: ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવાની જરૂરિયાત હોય છે. ખેડૂતોને આવા માલ વાહક વાહનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

5. Mal Vahak Vahan Yojana  નો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પર Online Application કરવાની રહેશે.

Leave a Comment

close button