WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Mukhyamantri Pak Sangrah Yojana 2023 | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના

Mukhyamantri Pak Sangrah Yojana 2023 | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના

Short Briefing : Mukhyamantri Pak Sangrah Yojana Gujarat | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 | Godown Yojana Gujarat | Mukhyamantri Pak Sangrah Yojana in Gujarati | Gujarat Infrastructure Scheme Information in Gujarati | Mukhyamantri Pak Sangrah Yojana on Ikhedut Portal | પાક સંગ્રહ સ્ટ્રક્ચર 2023 | ગ્રામીણ ગોડાઉન યોજના

દેશના પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ખૂબ પ્રયત્નો હાથ ધરેલા છે. સરકારશ્રી દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે. જેમાં સૌથી પ્રચલિત યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ ઉપરાંત ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ તથા ખેતીવાડીની યોજનાઓ મૂકવામાં આવે છે. આજે આપણે Mukhyamantri Pak Sangrah Yojana 2023 વિશે માહિતી મેળવીશું. મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો કોણે લાભ મળે ?, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

Mukhyamantri Pak Sangrah Yojana 2023

ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજના ikhedut Portal મારફતે પ્રકાશિત કરતી રહે છે. ખેડૂતોને ઘણી અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે. પરતું ખેતરમાં પાક સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ, વાવાઝોડા, તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી. જેની ચિંતા રાજ્ય સરકાર કરીને ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવતા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે સબસીડી હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

Highlight Point of Mukhyamantri Pak Sangrah Yojana in Gujarati

યોજનાનું નામમુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે
ક્યા લાભાર્થીઓનેગુજરાતના તમામ ખેડૂતોને
સહાયની રકમખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/-
બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.
અરજી કરવાની છેલ્લી તારીખતા: 05/06/2023
થી 04/07/2023 સુધી

Read More: આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.


ગોડાઉન સહાય યોજનાનો હેતુ

Mukhyamantri Pak Sangrah Yojana હેઠળ રાજ્યના ખેડૂતો પોતાની ઉત્પન્ન થયેલી કૃષિ-પેદાશો સાચવી શકે. અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરીને વધુ સારા ભાવ મેળવી શકે તે ઉદ્દેશ છે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાની પાત્રતા તથા શરતો

  • ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
  • રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
  • આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Read More: Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ


iKhedut Portal Godown બનાવવાની શરતો

રાજ્ય સરકારની Infrastructure Scheme માટે કેટલીક શરતો નક્કી કરેલ છે. ખેડૂતોએ Pak Sangrah Yojana નો લાભ લેવા માટે નીચેની શરતો લાગુ પડશે.

  • ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
  • ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્‍થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્‍ય ગણાશે નહીં.
  • ગોડાઉનનું પ્લીન્‍થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
  • પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્‍ટના પતરાથી બનાવવાના રહેશે.
  • આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્‍ય રહેશે નહિં.
  • લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.

Read More: Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.


પાક સંગ્રહ યોજનાની સહાય ધોરણ

આ પાક સંગ્રહ યોજના અન્‍વયે આઈ ખેડૂત પોર્ટલ પર સબસીડી નિર્ધારિત થયેલ છે. આ યોજના અન્‍વયે પોતાની જ્ઞાતિ મુજબ સબસીડી કે સહાય નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જન જાતિ) માટેએસ.ટી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અનુસૂચિત જાતિ) માટેએસ.સી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અન્ય તમામ જ્ઞાતિઓ માટેઅન્ય તમામ જ્ઞાતિઓના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

Document Required for Mukhyamantri Pak Sangrah Yojana | ગોડાઉન સહાય યોજના ડોક્યુમેન્ટ

i-khedut portal દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.

1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7 12

3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ

4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક

7.જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)


Read MOre: પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.


Godown Yojana Gujarat લક્ષ્યાંક

આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો લાભ આપવા માટે નક્કી લક્ષ્યાંક આપેલો છે. જે અન્‍વયે ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે.

યોજના અને જ્ઞાતિનું નામ2023-2024 નો લક્ષ્યાંક
અનુસૂચિત જન જાતિ (એજીઆર-3)1490
અનુસૂચિત જાતિ (એજીઆર-4)400
અન્ય તમામ જ્ઞાતિઓ માટે (એજીઆર-2)8000
Information source : official website https://ikhedut.gujarat.gov.in/
Mukhyamantri Pak Sangrah Yojana 2023 | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના

How To Online Apply Mukhyamantri Pak Sangrah Yojana 2023 |કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

ikhedut portal website | ikhedut portal gujarat 2021 | Godown Yojana Online Arji |  khetivadi yojana
information source : Government of Gujarat Official ikhedut portal
  • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
  • જેમાં “પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

Mukhyamantri Pak Sangrah Yojana 2023 હેઠળ લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતે તારીખ-તા: 05/06/2023 થી 04/07/2023 સુધી કોઈપણ જગ્યાએથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજીનું સ્ટેટસ તપાસવા અને રિપ્રિન્‍ટ માટે

લાભાર્થી ખેડૂત ikhedut portal online application status તથા ikhedut portal arji print પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી મેળવી શકે છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે કચેરી સુધી જવાની જરૂર નથી.

અરજીનું સ્ટેટસ જાણવા માટે
અરજીની ફરીથી પ્રિન્‍ટ માટે
ikhedut portal status by Official Website ikhedut portal

Read More: ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: રાજ્ય કક્ષાએ કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. અને જિલ્લા કક્ષાએ વધુ માહિતી માટે ખેતી નિયામકશ્રીની કચેરી સંપર્ક કરી શકાશે.

2. Mukhyamantri Pak Sangrah Yojana 2023 શું લાભ મળશે?

જવાબ: આ યોજના હેઠળ લાભાર્થીઓ પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

3.  Godown Yojana Gujarat નો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પર Online Application કરવાની રહેશે.

Leave a Comment