WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Sarasvati Sadhana Cycle Yojana : સરસ્વતી સાધના સાયકલ યોજના

Sarasvati Sadhana Cycle Yojana 2024 : સરસ્વતી સાધના સાયકલ યોજના 2024- જાણો લાભ કોણે અને કેવી રીતે મળે?

  રાજ્યમાં જુદા-જુદા વર્ગોને લાભ આપવા માટે સરકારશ્રી દ્વારા જુદા-જુદા વિભાગ બનાવવામાં આવેલ છે. સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. સમાજના નબળાં વર્ગોને લાભ આપવા માટે e-Samaj kalyan Portal બનાવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં Sarasvati Sadhana Cycle Yojana 2024 ખૂબ જ અગત્યની યોજના છે. સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ કોણે મળે?, કેવી રીતે મળે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Sarasvati Sadhana Cycle Yojana 2024

               સરસ્વતી સાધના યોજના 2024 નો લાભ ધોરણ-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિની ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ આપવામાં આવે છે. https://sje.gujarat.gov.in/ વેબસાઈટ પર સરસ્વતી સાધના યોજનાનો કોડ બીસીકે-6 છે. આ યોજનામાં અનુસુચિત જાતિના BPL List માં નામ હોય તેવા કુટુંબની કન્યાઓને લાભ મળે છે.

Highlight Point

યોજનાનું નામસરસ્વતી સાધના સાયકલ યોજના
રાજ્યગુજરાત
લાભોમફત સાયકલ વિતરણ કરવામાં આવશે.
લાભાર્થીઓ14 થી 18 વર્ષની વય જૂથની છોકરીઓ
મુખ્ય ઉદ્દેશ્યઅનુસૂચિત જાતિ કેટેગરીની અને ધોરણ- 9 માં અભ્યાસ કરતી છોકરીને પ્રોત્સાહન અને સરકાર
સત્તાવાર વેબ પૃષ્ઠhttps://sje.gujarat.gov.in/schemes

Read More: Gujarat BPL List 2024 PDF : તમારા ગામનું નવું બીપીએલ લિસ્ટમાં તમારું નામ છે કે નહિ? તે ચેક કરો.


યોજનાનો લાભ કોણે મળશે?

               આ યોજનાનો લાભ કોણે- કોણે મળશે તેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી કન્યા અનુસુચિત જાતિની હોવી જોઈએ.
  • સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દીકરીઓને આપવામાં આવશે.
  • હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને લાભ આપવામાં આવશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
  • શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.

Read More:Pradhan Mantri Suryoday Yojana | વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.


સરસ્વતી સાધના યોજનાનો ઉદ્દેશ્ય          

               આ યોજનાનો ઉદ્દેશ્ય કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવાનો છે. રાજ્યમાં અનુસુચિત જાતિની ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે મુખ્ય હેતુ છે.

Sarasvati Sadhana Cycle Yojana લાભ મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?

               આ યોજનાનો લાભ લેવા માટે જે કન્યા જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.  જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરીની મુલાકાત લેવાની રહેશે.

ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 ના લાભો

               આ યોજના હેઠળ રાજ્યની દીકરીઓને જુદા-જુદા લાભો આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનાથી ધોરન-8 પછી રાજ્યની ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી, તેઓને આગળનો અભ્યાસ કરવાની તક મળશે.
  • ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવશે.
  • સરસ્વતી સાધના યોજનાને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ ધોરણ-9 માં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત થશે.
  • આ યોજનાથીઘણી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધશે.
  •  આ યોજનાના લીધે દીકરીઓ શાળાએ જવાનું શરૂ કરશે, જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે.

Read More: પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 । Scheme for Agriculture Seed Cleaning Machine @ ikhedut


સરસ્વતી સાયકલ સાધના યોજનામાં શું લાભ આપવામાં આવે છે?

               આ યોજના હેઠળ દીકરીઓને સહાય તરીકે સાયકલ સહાય આપવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં પુરાવાઓ જોઈએ?

               આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક પુરાવા માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • કન્યાનો જાતિનો દાખલો
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • ધોરણ-9 માં અભ્યાસ કરે છે તેનો પુરાવો
  • સ્કૂલમાં ફી ભર્યાની પહોંચ

અગત્યની લિંક

1સરસ્વતી સાધના સાયકલ યોજના
2Home Page

Sarasvati Sadhana Cycle Yojana 2024

Read More: ગાય કે ભેંસમાં IVF થી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને રૂપિયા 20,000 ની સહાય આપશે. : જાણો કોને, ક્યારે અને કેવી રીતે?


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. સરસ્વતી સાધના યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે?

જવાબ: આ યોજના હેઠળ કન્યાઓને મફત સાયકલ સહાય આપવામાં આવે છે.

2. Sarasvati Sadhana Cycle Yojana 2024 નો લાભ કોણે આપવામાં આવે છે?

જવાબ: આ યોજનાનો લાભ રાજ્યમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિની દીકરીઓને લાભ આપવામાં આવે છે.

Leave a Comment