WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ઘરઘંટી સહાય યોજના હેઠળ 15000/- સહાય મળશે | Ghar Ghanti Sahay Yojana

ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Ghar Ghanti Sahay Yojana 2023

રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે Digital Gujarat Portal પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manava Garima Yojana બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજનામોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજનાતથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે Ghar Ghanti Sahay Yojana 2023 વિશે માહિતી મેળવીશું.

Ghar Ghanti Sahay Yojana 2023

      રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana Online હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજના 2023 નો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

યોજનાનો હેતુ (Perpose)

      રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. Manav Kalyan Yojana હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

યોજનાની અગત્યની બાબતો

આર્ટિકલનું નામGhar Ghanti Sahay Yojana 2023
મુખ્ય યોજનાનું નામManav Kalyan Yojana 2023
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?માનવ કલ્યાણ યોજના
આ યોજનાના હેઠળ શું લાભ મળે?નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે.
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયઘરઘંટી સહાય યોજના
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Websitehttp://www.cottage.gujarat.gov.in/  
Online Application Websitehttps://e-kutir.gujarat.gov.in/
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-Kutir Online Process

આ પણ વાંચો: બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023 : ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી મેળવો.


આ યોજનામાં શું લાભ મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

         માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘરઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત આપવામાં આવે છે.

Ghar Ghanti Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

        કમિશ્રન કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ  દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.


આ પણ વાંંચો: વિદેશ અભ્યાસ લોન યોજના | Videsh Abhyas Loan Yojana Gujarat 2023


Documents Required Of Ghar Ghanti Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

        અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • Ghar Ghanti Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

Read More: Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana | સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરો.


Important Links Of Flour Mill Sahay Yojana

ક્રમયોજનાની લગતી વિગતો
1માનવ કલ્યાણ યોજના 2023 માટે ઓફિશિયલ નોટિફિકેશન
2માનવ કલ્યાણ યોજના માટેનું ફિઝિકલ ફોર્મ (Offline)
3Manav Kalyan Yojana 2023 Online Application Link
4Self Decleration Form ની પ્રિન્ટ ડાઉનલોડ કરવા
5Manav Kalyan Yojana હેઠળ મળતી સાધન સહાયની યાદી  અને તેની વિગતો
6માનવ કલ્યાણ યોજના અંગેનો ઓફિશિયલ ઠરાવ 
7Home Page

ઘરઘંટી સહાય યોજના | Ghar Ghanti Sahay Yojana 2023

Read More: PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.


How To Online Apply Ghar Ghanti Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

            માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં e-Kutir Portal ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023  નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
e-Kutir Portal Gujarat
  • અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Read More: SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્‍ટમાં બેલેન્‍સ WhatsApp દ્વારા જાણો.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Ghar Ghanti Sahay Yojana 2023 માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. ઘરઘંટી સહાય માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: આ યોજના માટે અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઊ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

3.  Ghar Ghanti Sahay Yojana હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે?

જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 15000/- થાય છે.

Leave a Comment