WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[Free Tool] Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના

[Free Tool] Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના

રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

Manav Kalyan Yojana 2023

કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા Manav Kalyan Yojana 2023 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.

Important Point

આર્ટિકલનું નામManav Kalyan Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયનવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયાOnline
Official Website-1http://www.cottage.gujarat.gov.in/  
Official Website-2https://e-kutir.gujarat.gov.in/
Online Application Date01 April 2023
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-Kutir Online Process

Read More: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24

Read More: Pashupalan Yojana Gujarat List 2023 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2023


માનવ કલ્યાણ યોજનાઓ હેતુ (Purpose)

આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે..


Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા (Eligibilty Creteria)

     આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
  • અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/- થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.

Read More: SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્‍ટમાં બેલેન્‍સ WhatsApp દ્વારા જાણો.


માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 માટે જાહેરાત

ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ સમાચારપત્રમાં જાહેરાત આવેલ છે. જેના મુજબ કમિશ્રનશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી “માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24” દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે.

Advertisement about Manav Kalyan Yojana 2023 in published papers

મફત સાધન સહાયની યાદી (Manav Kalyan Yojana Tool support)

Manav Garima Yojana Gujarat 2023 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમટ્રેડનું નામ
1કડિયા કામ
2સેન્‍ટિંગ કામ
3વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
4મોચીકામ
5દરજીકામ (મફત સિલાઈ મશીન યોજના)
6તકામ
7કુંભારી કામ
8વિવિધ પ્રકારની ફેરી
9પ્લમ્બર
10બ્યુટી પાર્લર
11ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13સુથારીકામ
14ધોબીકામ
15સાવરણી સુપડા બનાવનાર
16દૂધ-દહિં વેચનાર
17માછલી વેચનાર
18પાપડ બનાવટ
19અથાણા બનાવટ
20ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21પંચર કીટ
22ફ્લોર મિલ
23મસાલા મિલ
24રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
25મોબાઈલ રિપેરીંગ
26પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ)
27હેર કટિંગ (વાળંદ કામ)
28રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)
e-Kutir Portal

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


How to Online Apply Manav Kalyan Yojana 2023

કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
  • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana 2023” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
Manav Kalyan Yojana 2023 User Id and Password Create
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

Online Application Form

  • E-Kutir Portal પર આપેલા For New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
  • હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
  • જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
  • ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
  • હવે “Login to Portal”  પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
  • માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
  • હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.
માનવ કલ્યાણ યોજનાનું ઓનલાઈન ફોર્મ
  • યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતલાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્‍ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
Manav Kalyan Yojana Online Application and Upload Document
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ (Features and Benefits)

રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.

  • આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
  • દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.

Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023


માનવ કલ્યાણ યોજનાની Video દ્વારા કેવી રીતે માહિતી મેળવવી?

આ યોજનાની માહિતી લેખિત સ્વરૂપે અહિં તમામ આપેલી છે. પરંતુ વિડિઓના માધ્યમ દ્વારા માહિતી મેળવવી હોય તો શું કરવું જોઈએ?, આ માટે અમે તમને YouTube પર મુકાયેલ એક વિડિયો જોવા માટે આગ્રહ કરીશું. જેના માધ્યમ દ્વારા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો.


Video Credit : Sarkari Yojana Gujarat Official You Tube Channel


Read More: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023


FAQ’s

1. માનવ કલ્યાણ યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે?

જવાબ: કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે.

2.Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા કેવી રીતે અરજી કરવાની રહેશે?

જવાબ: લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Gujarat પરથી Online Form ભરવાનું રહેશે.

3. Manav Kalyan Yojana ની જિલ્લા કક્ષાએ વધુ માહિતી કઈ કચેરીનો સંપર્ક કરવો?

જવાબ: અરજદારો જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” નો સંપર્ક કરી શકાશે.

4. માનવ કલ્યાણ યોજના કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે?

જવાબ: ગુજરાતના લાભાર્થીઓ આ યોજનાની ઓનલાઈન અરજી e-Kutir Portal પર તા-01/04/2023 થી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.

Leave a Comment

close button